Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના અન્વયે
જામનગર તા. ૧ઃ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી દ્વારા જામનગર મહાનગરપાલિકાને રૃપિયા ૧૯ કરોડ ૮પ લાખની ગ્રાન્ટ આઉટ ગ્રોથ વિસ્તારના વિકાસ કામ માટે ફાળવવા મંજુરી આપી છે. ઉપરાંત કાલાવડ નગરપાલિકાને પણ રૃપિયા ૯.૪૬ કરોડની રકમ ફાયર સ્ટેશન માટે ફાળવાઈ છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા આઉટ ગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટેની કરોડો રૃપિયાની દરખાસ્તો રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તાજેતરમાં થયેલી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ ત્રણ મોટા શહેરોને વિકાસ કામો માટે રકમ ફાળવવા મંજુરી આપી છે. જેમાં જામનગર મહાનગરપાલિકા માટે રૃપિયા ૧૯.૮પ કરોડનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકાને પાંચ હજાર ચો.મી. જગ્યામાં ફાયર સ્ટેશનનું બાંધકામ કરવા માટે રૃપિયા ૯ કરોડ ૪૬ લાખ ફાળવાનો પણ નિર્ણય કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial