Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દાનાપુર ડિવી.માં નોન-ઈન્ટર લોકીંગ કામગીરીના કારણે
જામનગર તા. ૧૨: દાનાપુર ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝનની બે ટ્રેનો ડાયવર્ટ કરેલા માર્ગ પર દોડશે.
પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝન સંબંધિત બે ટ્રેનો તેમના નિર્ધારિત માર્ગના બદલે ડાયવર્ટ કરેલા માર્ગ પર ચલાવવામાં આવશે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, ડાયવર્ટ કરેલા માર્ગ પર ચાલનારી ટ્રેનો માં રાજકોટ ડિવિઝન માંથી પસાર થનાર બે ટ્રેનો નો સમાવેશ થાય છે.
ટ્રેન નંબર ૧૫૬૪૫ ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ તા. ૨૫ ઓગસ્ટના ઓખાથી ગુવાહાટી જતી ટ્રેન વારાણસી જંકશન છપરા જંકશન શાહપુર પટોરી બરૌની જંકશન થઈને ડાયવર્ટ કરેલા માર્ગ પર દોડશે. તા.૨ ઓક્ટોબરની ટ્રેન નંબર ૧૫૬૩૫ વારાણસી જંકશન છપરા જંકશન શાહપુર પટોરીબરૌની જંકશન થઈને ડાયવર્ટ કરેલા માર્ગ પર દોડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial