Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવિધ શિવાલયોમાં સમગ્ર માસ દરમ્યાન વિવિધ ધર્મોત્સવનું આયોજનઃ
'છોટીકાશી' જામનગરમાં શ્રાવણ મહિનો એ શિવભક્તિનો ઉત્સવ છે. નગરજનો સમગ્ર મહિનો શિવમય બની જાય છે ત્યારે શ્રાવણ માસ આરંભ થતા પહેલા નગરનાં વિવિધ પ્રાચીન - પ્રસિદ્ધ શિવાલયોએ રોશનીનો શણગાર ધારણ કર્યો છે. કે.વી. રોડ પર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે લાઇટ ડેકોરેશન કરવામાં આવતા મંદિરની આભા અદ્ભૂત લાગી રહી છે. ટાઉનહોલ નજીક ગૌરવ પથ ઉપર આવેલ શ્રી ભીડ ભંજન મહાદેવનાં પ્રાચીન મંદિરે પણ રોશની કરવામાં આવતા અલૌકિક સુંદરતા દૃશ્યમાન થાય છે. આ ઉપરાંત પણ નગરનાં વિવિધ શિવાલયોમાં ડેકોરેશન તથા સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન વિવિધ વિશેષ દર્શનોનાં આયોજન કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial