Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ કંડોરણાના દુધીવદર પાસે સર્જાયો અકસ્માતઃ
જામનગર તા.૭ ઃ કાલાવડના આણંદ પર ગામના પરિવારને જાણ કંડોરણાના દુધીવદર ગામ પાસે અકસ્માત નડ્યો હતો. મોટરમાં પરત ફરી રહેલા આ પરિવારના મોભી તથા તેમના પત્નીના મૃત્યુ નિપજ્યા હતા. અન્ય ચારને ઈજા થઈ હતી.
કાલાવડ તાલુકાના આણંદપર ગામના મગનભાઈ ટપુભાઈ નામના પ્રૌઢ અને તેમના પત્ની પ્રભાબેન, પુત્ર સંજયભાઈ, અશોકભાઈ, મહેશભાઈ, ભૂપતભાઈ મોટરમાં જામ કંડોરણા તરફ જવા માટે નીકળ્યા હતા.
તેઓની મોટર જ્યારે જામ કંડોરણાના દુધીવદર ગામના પાટિયા પાસે પહોંચી ત્યારે ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવતા મોટર રોડ પરથી ઉતરી જઈ ઝાડ સાથે ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મગનભાઈ તથા તેમના પત્ની પ્રભાબેનના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા.
અકસ્માતમાં ઘવાયેલા સંજયભાઈ, અશોકભાઈ, મહેશભાઈ, ભૂપતભાઈને સારવાર માટે ૧૦૮માં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જામ કંડોરણા પોલીસ દોડી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag