Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૭ઃ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પછી હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી. પરમ દિવસ પછી ગઈકાલે પણ જિલ્લાના કાલાવડ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં બરફના કરા સાથે વરસાદ થયો હતો. પરિણામે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.
કાલાવડ તાલુકાના અમુક ગામડાઓમાં પરમ દિવસે વીજળીના કડાકા-ભડાકા અને બરફના કરા સાથે માવઠું થયા પછી ગઈકાલે પણ માવઠું વરસ્યુ હતું.
કાલાવડ તાલુકાના ખરેડી, પીપર, આણંદપર, વડાળા, નિકાવા, ખડધોરાજી સહિતના ગામમાં ગઈકાલે બપોર પછી બરફના કરા ઉપરાંત કમોસમી વરસાદ થયો હતો.
ઉપરાંત ધ્રોલ તાલુકાના ખેંગારકામાં પણ માવઠું વરસ્યું હોવાના અહેવાલો છે.
આ માવઠાથી જીરૃ, ચણા, ઘઉંના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જો કે, આજે વાતાવરણમાં ઉઘાડ જોવા મળી રહ્યો છે. પરંતુ બપોર પછી વાતાવરણ યથાવત રહેશે કે પલ્ટો આવશે તે કહેવું મુશ્કેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag