Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ તા. ૭ઃ ભાણવડ તાલુકાના મોટા ઝાલાવડ ગામમાં ધૂળેટી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવે છે. આવતીકાલે ગામના ચોરે સભારૃપે સૌ ગ્રામજનો એકત્રિત થશે. જ્યાં સરપંચ રાજશીભાઈ કનારાની અધ્યક્ષતામાં ગામની તમામ સમિતિઓના ખુલ્લા મંચે હિસાબો રજુ કરવામાં આવશે. જેમાં ગૌશાળા સમિતિ, આહિર સમાજવાડી સમિતિ, નવરાત્રિ સમિતિના આગેવાનો હિસાબ રજુ કરશે, તેમજ નવા ઈજારા માટે બોલી બોલાવવામાં આવશે. ગામના વિકાસ તથા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા અને આયોજન કરવામાં આવશે.
આ પ્રસંગે ગામના આગેવાનો પાલાભાઈ કરમુર, હમીરભાઈ કનારા, દેવશીભાઈ કરમુર, સુભાષભાઈ નંદાણીયા, પોલાભાઈ વારોતરીયા, અનુરાગભાઈ કનારા, મયુરભાઈ ગાગલીયા, કીર્તન મંડળીના જેશાભાઈ વારોતરીયા, કનાભાઈ કરમુર, ગોવિંદભાઈ કનારા, બાબુલાલ રાજ્યગુરૃ, કારૃ મારાજ વગેરે ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag