Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓખા તા. ૭ઃ ભગવાન દ્વારકાધીશ સંગ ફુલડોલ ઉત્સવ ઉજવવા લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ બેટ-દ્વારકા આવે છે, પરંતુ તંત્ર દ્વારકા સાંજે પઃ૩૦ પછી ફેરી બોટ સર્વિસ બંધ કરી દેવાતા હજારો શ્રદ્ધાળુઓ દર્શન થી વંચીત રહી ઓખા જેટી પરથી પરત ફરતા જેવા મળે છે. જે અંગેની વિધુ વિગત મુજબ મોરબી પુલ દુર્ઘટના પછી દ્વારકા વહીવટ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને તે સમયે શિયાળો હોય અને વહેલું અંધારૃ થતું હોય જેથી ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સાંજે પઃ૩૦ જ બંધ કરી દેવા જીલ્લા કલેકટરની સુચના અનુસાર પોર્ટ ઓફિસર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલ ઉનાળો શરૃ થયો છે, સુર્યાસ્ત પણ ૭ઃ૩૦ પછી થાય છે આમ છતાં પણ તંત્ર દ્વારકા ફેરી બોટના ટાઈમમાં કોઈ ફેરફાર કરવામાં ન આવતાં યાત્રિકો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ઠાકોરજીના ઉથાપન દર્શનના સમયમાં ફેરફાર
બેટ દેવસ્થાન સમિતિના ઈન્ચાર્જ વ્યવસ્થાપક દિનેશભાઈ બધિયાની સાથે વાત કરતાં તેમને જણાવ્યું છે કે યાત્રિકોની ભીડને ધ્યાને લઈને અને બહાર થી આવતા યાત્રિકો દર્શનથી વંચિત ના રહે તે માટે ઠાકોરજીના ઉથાપન દર્શન સાંજે પઃ૦૦ વાગ્યે થતાં હતાં તે હવેથી સાંજે ૪ઃ૦૦ વાગ્યે કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag