Advertisement
Author: નોબત સમાચાર

રાજ રાજેશ્વરી સોસાયટીમાં અકળ કારણથી પ્રૌઢે ખાઈ લીધો ગળાફાંસો

મૃતકના પુત્રનું નિવેદન નોંધતી પોલીસઃ

જામનગર તા.૭ ઃ જામનગરના રામેશ્વરનગર પાછળની રાજ રાજેશ્વરી સોસાયટીમાં રહેતા એક સિંધી પ્રૌઢે ગઈકાલે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે પુત્રનું નિવેદન નોંધી તપાસ શરૃ કરી છે.

જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલા માટેલચોક નજીક રાજ રાજેશ્વરી સોસાયટીની શેરી નં.૬માં રહેતા ટેકચંદભાઈ કેવલરામ ગુરૃનાણી નામના સત્તાવન વર્ષના સિંધી પ્રૌઢે ગઈકાલે સાંજે પોતાના ઘરે ઉપરના માળે આવેલા ઓરડામાં જઈ છતમાં રહેલા પંખામાં દોરી વડે કોઈ અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ બાબતની તેમના પરિવારને જાણ થતાં ૧૦૮ને વાકેફ કરાઈ હતી. દોડી ગયેલી એમ્બ્યુલન્સના સ્ટાફે આ પ્રૌઢને નીચે ઉતારી તપાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. પીએસઆઈ એસ.વી. સામાણીએ મૃતકના પુત્ર હરેશ ગુરૃનાણીનું નિવેદન નોંધી મૃતદેહને પી.એમ. માટે ખસેડ્યો છે અને આ પ્રૌઢની આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh