Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૭ ઃ જામનગરની એક પેઢીએ કાશ્મીરના સોપોર જિલ્લાની પેઢીના સંચાલક સામે ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં આરોપી સામે બિન જામીનલાયક વોરંટ ઈસ્યુ થયું હતું. તેની બજવણી અંગે સોપોરના જિલ્લા પોલીસ વડાનો ખુલાસો માગતી અરજી ફરિયાદીએ કરતા અદાલતે એસપીનો ખુલાસો માગ્યો છે.
જામનગરની શ્રીરાજ એન્ટરપ્રાઈઝ નામની પેઢીવાળા હસમુખભાઈ નાગજી ભંડેરીએ જામનગરની કોર્ટમાં કાશ્મીર-સોપોરમાં આવેલી અફસારા એન્ટરપ્રાઈઝ નામની પેઢીવાળા મહંમદઈકબાલ સામે રૃા.૩ લાખ ૬૦ હજારના ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી.
તે કેસમાં આરોપી સામે વોરંટ અને તે પછી બિનજામીન લાયક વોરંટની બજવણી માટે કાશ્મીર સોપોરના એસપીને મોકલવામાં આવ્યા હતા. તે વોરંટની બજવણી થઈ ગઈ હોવા છતાં જામનગરની કોર્ટમાં સોપોરના એસપીએ આરોપી મહંમદઈકબાલને હાજર રખાવ્યો ન હતો. તેથી ફરિયાદીના વકીલ મોહસીન ગોરીએ તે બાબતમાં સોપોર જિલ્લાના એસપીનો ખુલાસો માંગ્યો છે. અદાલતે તે અરજી મંજૂર રાખી આરોપી સામેનું બિનજામીનલાયક વોરંટ ફરીથી જારી કર્યંુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag