Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના સંદર્ભે
સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નજીક આવતો જાય છે તેમ ઉજવણીઓ શરૂ થઈ ચૂકી છે, ત્યારે આયુષ મંત્રાલય ભારત સરકારના જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન જામનગર દ્વારા અરબી સમુદ્રના કિનારે અને રાષ્ટ્રના પશ્ચિમ છેવાડાના સમુદ્ર તટ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના બ્લ્યુફ્લેગ બીચ પર તા. ૧૦ જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુમોદન આપવા તેમજ લોકોમાં યોગ થકી સ્વાસ્થ્ય સક્ષમ બનાવવાના હેતુસર કોમન યોગ પ્રોટોકલનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ નિદર્શનમાં ઈટ્રાના નિયામક પ્રો. ડો. તનુજા નેસરી સહિત ઈટ્રા શૈક્ષણિક-બીન શૈક્ષણિક સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ અને સ્વસ્થવૃત્ત-યોગ વિભાગના કર્મચારીઓ સહિત રપ૦ ની સંખ્યામાં સહભાગીઓએ ભાગ લઈ શિવરાજપુર બીચનું વાતાવરણ યોગમય બનાવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ ર૦રપ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને એક દાયકો થવા જઈ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં એક અનેરો ઉત્સાહ અને યોગ પ્રત્યે લોકોની અભિરૂચિ વધી રહી છે, ત્યારે પ્રખ્યાત એવા શિવરાજપુર બીચ પર થયેલું નિદર્શન લોકોને વધુ યોગમય બનવા પ્રેરિત કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial