Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીવ બચાવવા સાતમા માળેથી કૂદતા ૩ ના મૃત્યુઃ
નવી દિલ્હી તા. ૧૦: દિલ્હીના દ્વારકા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં આગ લાગતા ફાયરબ્રિગેડની ૮ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન સાતમા માળેથી જીવ બચાવવા કૂદનાર ૩ લોકોના મૃત્યુ થયા હતાં.
દિલ્હીના દ્વારકામાં એક એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે આગ લાગી. ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સેક્ટર ૧૩ મા આ બનાવ બન્યો હતો. મળતી માહિતી મુજબ જીવ બચાવવા સાતમા માળેથી કૂદનાર ૩ લોકોના મોત થયા છે.
ફ્લેટમાં ભીષણ આગ લાગ્યા પછી આ આગ સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. આસપાસના વિસ્તારોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગને તાત્કાલિક કોલ કરતા ફાયર વિભાગની ૮ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે સવારે ૧૦ વાગે દ્વારકામાં એક એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે આગ લાગી ગઈ હતી.
અધિકારીએ વધુમાં જણાવ્યું કે ફ્લેટમાં ર-૩ લોકો ફસાઈ ગયા હોય શકે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. તપાસ ચાલી રહી છે. સ્થાનિકોમાં ભયનો માહોલ હતો. આસપાસના લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial