Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના જગત મંદિરમાં આવતીકાલે જયેષ્ઠાભિષેકઃ ખૂલ્લા પડદે જલાભિષેકઃ જલયાત્રાઃ નૌકા વિહાર યોજાશે

પૂજારી પરિવાર ચાંદીના વાસણોમાં વાજતે-ગાજતે અઘોર કુંડનું પવિત્ર જલ મંદિરે લઈ જશેઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૦: દ્વારકાધીશ જગતમંદિરમાં આવતીકાલ તા. ૧૧-૬-ર૦રપ ને બુધવારના જેષ્ઠાભિષેક (ખુલ્લા પડદે સ્નાન) કરવામાં આવશે. જગતમંદિરમાં દર વર્ષે જેઠ માસમાં જયેષ્ઠા નક્ષત્રમાં શ્રીજીની મંગલા આરતી પછી જયેષ્ઠાભિષેક કરવામાં આવે છે. બુધવારે મંગલા આરતી પછી સવારે ૮ કલાકે ઠાકોરજીનો જયેષ્ઠાભિષેક કરાશે. જેમાં શ્રીજીનું ઋતુનુસાર અમૃત (આંબા) તેમજ દ્વારકાના અઘોર કુંડના પવિત્ર જલથી જલાભિષેક કરવામાં આવશે. વારાદાર પૂજારીઓ દ્વારા સાંજના સમયે શ્રીજીના બાલ સ્વરૂપ ગોપાલજીને મંદિરના ગર્ભગૃહથી બહાર નિજસભામાં નૌકાવિહાર કરાવવામાં આવશે.

જયેષ્ઠભિષેક ઉત્સવ વિશે માહિતી આપતા દ્વારકાધીશ મંદિરના પ્રણવભાઈ પૂજારીએ જણાવેલ કે વર્ષમાં જન્માષ્ટમી અને જયેષ્ઠા પૂર્ણિમા એમ માત્ર બે વખત જ ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક-સ્નાન કરાવવામાં આવે છે. જેમાંનો એક જયેષ્ઠાભિષેક ઉત્સવ હોય, જેનું વિશેષ મહત્ત્વ છે. બહારગામથી પધારેલ ભાવિકો તેમજ બહોળી સંખ્યામાં સ્થાનિકો અને ઓનલાઈનના માધ્યમથી લાખો શ્રદ્ધાળુઓ જયેષ્ઠાભિષેક તેમજ ત્યારપછી સાંજના સમયે બાલસ્વરૂપના નૌકાવિહાર દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવશે.

જગતમંદિરમાં શ્રીજીના જયેષ્ઠાભિષેક ઉત્સવ નિમિત્તે જલયાત્રા ઉત્સવની પૂર્વ તૈયારી રૂપે આજે જગતમંદિરના પૂજારી પરિવારના પુરુષો તથા મહિલાઓ દ્વારા ચાંદીના બેડા, ચાંદીની તાંબડી તેમજ વિવિધ ચાંદીના વાસણોમાં દ્વારકાના અતિ પ્રાચીન અને પવિત્રથી ભદ્રકાલી માતાજીના મંદિર પાસેના અઘોર કૂંડમાંથી પૂજા કરી કુંડના પવિત્ર જલને શાસ્ત્રોક્ત વિધિથી બેન્ડ-વાજા સાથે વાજતે ગાજતે દ્વારકા શહેરના રાજમાર્ગો પર થઈ જગતમંદિરમાં લઈ જવામાં આવશે. ગ્રીષ્મ ઋતુમાંથી વર્ષા ઋતુ આવતી હોય, આ પવિત્ર જલને વિવિધ ઔષધિયુક્ત બનાવી રાત્રિ અધિવાસન કરી બુધવારે આ પવિત્ર જલથી ઠાકોરજીને જલાભિષેક કરાશે તેમજ આવતીકાલે સાંજના સમયે જગતમંદિરમાં પવિત્ર જલથી જલ કુંડ (હોજ) ભરવામાં આવશે જેમાં ભગવાનનું બાલ સ્વરૂપ ગોપાલજીને નાવમાં બિરાજમાન કરી નૌકા ઉત્સવ એટલે કે જલયાત્રા ઉત્સવ મનોરથની ઉજવણી કરાશે જેનો લાભ દેશવિદેશના ભાવિકોને પ્રત્યક્ષ તેમજ ઓનલાઈનના માધ્યમથી મળશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh