Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૦ ગુજરાત રાજ્યના જાયન્ટ્સ ગ્રુપ ઓફ ફાઉન્ડેશનના પ્રમુખ મુકેશભાઈ પાઠક તથા સેક્રેટરી જયેશભાઈ ગોપીયાણી દ્વારા ખંભાળીયા જાયન્ટ્સ ગ્રુપની મુલાકાત લેવામાં આવી હતી.
રાજ્યના વેલફેર ફાઉન્ડેશનના પ્રમુખ મુકેશભાઈ પાઠક તથા જયેશભાઈ ગોપીયાણી દ્વારા ખંભાળીયા જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ હેલીબેન ખેતીયા તથા સદસ્યો અને હોદ્દેદારોને ગ્રુપ દ્વારા વર્તમાન સમયમાં કયા કયા લોકાપ્રયોગથી કાર્યો કરી શકાય, કયા સમાજ સેવાના કાર્યો, જન જાગૃતિના કાર્યો કરવા આગામી ફાઉન્ડેશનની ઈવેન્ટમાં ગ્રુપનું ઈન્વેસ્ટમેન્ટ કરવાની સાથોસાથ જાયન્ટ્સ ગ્રુપનો દ્વારકા જિલ્લામાં વિસ્તાર, વિકાસ કરવા સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતુ.
આ કાર્યક્રમમાં જાયન્ટ્સ વેલફેરના હોદ્દેદારોનું ખંભાળીયા ગ્રુપ દ્વારા સન્માન કરાયુ હતું. આ કાર્યક્રમમાં યુવા ભાગવતાચાર્ય વીરલભાઈ નાકર, જાયન્ટ્સના ફેડરેશનના ઓફિસર તથા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડર સંદીપભાઈ ખેતીયા, પૂર્વ જાયન્ટ્સ પ્રમુખ ઈલાબેન તથા ફાતીમાબેન વગેરે સદસ્યો જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial