Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીલની યર્થાથતા અંગે પ્રતિવાદીએ શંકા સેવીઃ
જામનગર તા. ૧૦: જામનગરના એક પૂર્વ નગરસેવકના અવસાન પછી તેઓના કહેવાતા વીલ અંગે અદાલતના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. જેમાં પ્રતિવાદીએ જ વીલની સત્યતા અને યર્થાથતા અંગે શંકા સેવ્યાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
જામનગરના પૂર્વ નગરસેવક તથા ખવાસ જ્ઞાતિના પૂર્વ પ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલા રતીલાલ મુળૂભાઈ બારડના અવસાન પછી તેમના નાના પુત્ર મયુર બારડે પિતાની તમામ સ્થાવર-જંગમ મિલકત અંગે વીલ હોવાનું પોતાના મોટાભાઈ કમલ બારડને કહેતા આ મામલો અદાલત સુધી પહોંચ્યો હતો.
કોર્ટનું ઉનાળુ વેકેશન શરૂ થઈ રહ્યું હતું તેમ છતાં કેસની ગંભીરતા ધ્યાને લઈ અદાલતે ઓવર ટાઈમ સુધી સુનાવણી કરી હતી. પ્રતિવાદી મયુર બારડને તાકીદે વકીલ રાખવા અને દાવા તથા મનાઈહુકમનો જવાબ રજૂ ન થાય ત્યા સુધી વિવાદિત વીલની અમલવારી નહીં કરવા અદાલતમાં મયુર બારડે બાહેંધરી રજૂ કરી હતી.
ત્યારપછી વીલની સત્યતા અને યર્થાથતા અંગે પ્રતિવાદીએ જ શંકા સેવ્યાની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. વાદી કમલ બારડ તરફથી વકીલ મહેશ તખ્તાણી રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial