Advertisement
Author: નોબત સમાચાર

રામદૂત હનુમાનજી મંદિરના પ્રાંગણમાં ભગવાન શિવજીના આશુતોષ સ્વરૃપ સાથેની પાલખીનું પૂજન

રજત મઢીત પાલખીની પ્રસાદ પૂજા તેમજ ૧૧ દંપતિઓ દ્વારા સોડષોપચાર પૂજન-અર્ચન કરાયુંઃ

છોટી કાશીનું બિરુદ પામેલા જામનગર શહેરમાં છેલ્લા ૪૧ વર્ષથી શિવશોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જે આ વખતે ૪૨માં વર્ષમાં પ્રવેશ કરે છે, જયારે હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા યોજનારી શોભાયાત્રામાં ભગવાન શિવજીની રજત મઢીત પાલખી કે જેનું પૂજન અર્ચન આજે સવારે ૧૧.૦૦ વાગ્યે રામદુત હનુમાનજી મંદિરે કરવામાં આવ્યો હતો,જ્યાં ભગવાન શિવજી ના રજત મઢીત સ્વરૃપ અને શિવજીની પાલખીની પ્રસાદ પૂજા સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. શહેરના ૧૧ દંપતિઓ દ્વારા સોડષોપચાર મંત્ર સાથે પૂજન વિધિ કરાવાઈ હતી અને બપોર બાદ સિદ્ધનાથ મહાદેવના મંદિરેથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી હતી. આ પૂજા વિધિ તેમજ મહા આરતીમાં જામનગર શહેરના અનેક શિવભક્તો જોડાયા હતા. મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ વ્યાસ (મહાદેવ) અને તેમની ટીમ દ્વારા પૂજા વિધિની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh