Advertisement
Author: નોબત સમાચાર

વ્યાજે લીધેલી રકમ સામે રોજના રૃા.૩ હજાર વ્યાજ ચૂકવ્યા પછી પણ કરાઈ પઠાણી ઉઘરાણી

બે વ્યાજખોર સામે પોલીસમાં થઈ રાવઃ

જામનગર તા.૧૮ ઃ જામનગરના એક આસામીએ રૃા.૪ લાખ ૨૦ હજાર દસ મહિના પહેલા વ્યાજે લીધા પછી રોજના રૃા.૩ હજાર લેખે વ્યાજ વસૂલાયા પછી પણ બે વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા આખરે પોલીસમાં ફરિયાદ થઈ છે.

જામનગરના સુમેર કલબ રોડ પર આવેલી ગણેશ હોટલવાળી બિલ્ડીંગમાં ફાયનાન્સની નામ વગરની ઓફિસ ચલાવતા પ્રશાંત સોની, નિર્મલ સોની નામના શખ્સો પાસેથી રણજીતનગરમાં જૂના હુડકામાં વસવાટ કરતા વિજય ભગવાનદાસ લાખાણી નામના સિંધી લોહાણા યુવાને ગયા એપ્રિલ મહિનામાં રૃા.૪ લાખ ર૦ હજારની રકમ બે ટકાના વ્યાજે લીધી હતી.

વ્યાજે રકમ આપતી વખતે પ્રશાંત તથા નિર્મલ સોનીએ બે કોરા ચેક સહી કરાવીને મેળવ્યા હતા. તે પછી પાંચેક દિવસ વિત્યે આ બંને શખ્સે રૃા.૩ હજાર રોજના વસૂલવાનું શરૃ કર્યું હતું. આવી રીતે રૃા.૪ લાખ ચૂકવી આપ્યા હોવા છતાં આ બંને શખ્સો વિજય લાખાણીને વધુ રકમ આપવા દબાણ કરી ગાળો ભાંડતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. તેથી વિજય લાખાણીએ ગઈકાલે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને સામે ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh