Advertisement
Author: નોબત સમાચાર

લોનની બાકી રકમ વસૂલવાનો બેંકનો દાવો છ મહિનામાં મંજૂર

જામનગર તા.૧૮ ઃ જામનગરની એચડીએફસી બેંકે બાકીદાર પાસેથી લોન વસૂલવા કરેલો દાવો છ મહિનામાં ચાલી ગયો હતો. અદાલતે બાકી રકમ વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યાે છે.

જામનગરની એચડીએફસી લિમિટેડ દ્વારા સુબોધકુમાર ગુપ્તાએ રૃા.૪૫ લાખ હોમલોન પેટે આપવામાં આવ્યા હતા. દિલ્હીમાં ફલેટ ખરીદવા તે લોન મેળવ્યા પછી બાકીદારે હપ્તાની ભરપાઈ કરી ન હતી.

તે પછી બેંકે વર્ષ ૨૦૧૯માં આપવામાં આવેલા અન્ડરટેકીંગ વગેરેના આધારે ગયા જૂન મહિનામાં જામનગરની અદાલતમાં દાવો કર્યાે હતો. અદાલતે રૃા.૬૩ લાખ ઉપરાંતની વ્યાજ સાથેની રકમ વસૂલ કરવા બેંકની તરફેણમાં હુકમ કર્યાે છે. બેંક તરફથી વકીલ વિરલ રાચ્છ, સોહિલ બેલીમ, વાશ્વી એમ. શેઠ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh