Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં ૧૦૦ વર્ષ જૂની વરણાંગીનું પ્રસ્થાનઃ ભૂદેવો દ્વારા ખુલ્લા પગે નગરભ્રમણ

મહાનુભાવો, ધર્માચાર્ય, સ્થાનિક અગ્રણીઓ તથા ટ્રસ્ટીઓ જોડાયા

ખંભાળીયામાં ૧૦૦ વર્ષથી પણ જુની પરંપરાથી અહીંના ખામનાથ મહાદેવ મંદિરની શીવ વરણાંગીનાં ભવ્ય ઢોલનગારા તથા છડી સાથે પ્રારંભ થયો હતો. અહીંના રંગમહેલ શાળા પાસે ર૦૦ કિલો ચાંદીના શિવ પાર્વતી તથા ગણેશજીની પ્રતિમાને પાલખીમાં બેસાડીને શાસ્ત્રોક્ત મંત્રોથી ભવ્ય પ્રસ્થાન કરાવાયું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીં, વિ.હિં.પ.ના ધર્માચાર્ય પ્રમુખ પ્રવીણસિંહ કંચવા પત્રકારો હિતેન્દ્રભાઈ આચાર્ય, કૌશલભાઈ સવજાણી, ખામનાથ મહાદેવ ટ્રસ્ટના હેમતભાઈ ધ્રુવ, ભરતભાઈ મોટાણી, એડવોકેટ ભરતભાઈ દવે, નીતિનભાઈ ગણાત્રા, વિ.હિં.પ. ના શહેર પ્રમુખ કિરણબેન સરપદડીયા વિજયભાઈ કટારીયા, મનુભાઈ ભાડથરવાળા, પંડિતભાઈ, જે.વી.ધ્રુવ સહિતના જોડાયા હતા તથા શાસ્ત્રી ભરતભાઈ દ્વારા મંત્રોચ્ચાર કરાયા હતા તથા ઢોલ નગારા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શ્રી વરણાંગી નીકળી હતી.

તેમાં માત્ર ભૂદેવોજ ખુલ્લા પગે તથા પિતાંબરી કે ધોતી પહેરીને ર૦૦ કિલો વજનની શિવ, પાર્વતી, ગણેશની પ્રતિમાને હરહર મહાદેવના નારા સાથે સમગ્ર શહેરમાં ફેરવીને ખામનાથ મંદિરે લઈ જાય છે.

બ્રહ્મ અગ્રણીઓ નીતિનભાઈ આચાર્ય, કિરીટભાઈ બોડા, હસમુખભાઈ બોડા, દિલીપભાઈ બોડા, હેતલભાઈ બોડા, ઝીલ આચાર્ય જોડાયા હતા.

અગાઉના વર્ષોમાં  બ્રહ્મ અગ્રણીઓ સ્વ. ધર્મેન્દ્રભાઈ આચાર્ય, સ્વ.એલ.સી.જોશી એડવોકેટ, સ્વ. વિશ્વનાથ જોશી તથા કાર્યકરો મોટી સંખ્યામાં આ પરંપરા સાથે શિવ વરણાંગી શહેરમાંથી કાઢતા હતા તથા વર્ષોથી શિવ વરણાંગી શહેરમાં આકર્ષણરૃપ બને છે તથા ઠેરઠેર તેનું ભવ્ય સ્વાગત પણ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh