Advertisement
Author: નોબત સમાચાર

ભીવંડીની કોલેજમાં 'આઈડીયા ટુ ઈન્ક્રીસ પ્રોફિટ' વિષય પર સેમિનાર

ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘના નેજા હેઠળ હાયર એજ્યુકેશન એડવાઈઝરી એન્ડ સ્કીલ ડેવલોપમેન્ટ કમિટિના ઉપક્રમે ભીવંડીની માનસી ભરત ગડા કોલેજનાં શાંતિ ચંદન ઓડીટોરીયમમાં ઓશવાળ સમાજના ઉદ્યોગ, વેપાર કે સેવાક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિઓ અને નવો સ્ટાર્ટઅપ શરૃ કરવા ઈચ્છુકોને વિનામૂલ્યે એક્સટર્નલ સલાહ આપવાના ઉદેશ સાથે "આઈડીયા ટુ ઈન્ક્રીસ પ્રોફિટ" વિષય ઉપર સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં સંઘના હોદ્દેદારો, સમાજના હોદ્દેદારો, નામાંકિત ઉદ્યોગપતિઓ-વેપારીઓ, કાર્યકરો હાજર રહ્યા હતા. આ સેમિનારનો આરંભ માર્ગદર્શન આપનારા વક્તાઓનું અગ્રણીઓના હસ્તે શાલ ઓઢાડી સન્માન સાથે કરવામાં આવ્યો હતો. જીગ્નેશભાઈ દવેએ ઈનકમીંગ એરા ફોર ઈનોવેશન એ સ્ટાર્ટઅપ વિષય પર, વિરાજ જયંતિલાલ ગડાએ યુથ ઈન બિઝનેસ વિષય પર અને હરિશ રતિલાલ વીપરરીયાએ વર્તમાન વેપાર-ઉદ્યોગમાં મેનેજમેન્ટ વિષય પર માર્ગદર્શન-વકતવ્ય આપ્યું હતું-સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ યુ-ટ્યુબ ચેનલ પરથી કરાયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh