Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જમીન સંપાદન અંગે કેન્દ્રનું જાહેરનામું
જામનગર તા.૧૮ઃ દ્વારકા-ઓખા માર્ગને પહોળો કરીને ચાર માર્ગીય અને છ માર્ગીય બનાવવામાં આવનાર છે. આ મતે જમીન સંપાદન અંગે પ્રક્રિયા ચાલી રહી છે. આ માર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
દ્વારકા-ઓખા માર્ગને રાષ્ટ્રીય ધોરી માર્ગ તરીકે વિકસાવવાની યોજના બનાવાય અને આ માર્ગને પહોળો કરી ચાર માર્ગીય, છ માર્ગીય બનાવવાનું પણ આયોજન થયું છે.
આથી માર્ગ પહોળો કરવા માટે જરૃરી જમીન સંપાદનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં રાજમાર્ગ મંત્રાલય દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ હતું.
જેમાં દ્વારકા, આરંભડા, ભિમરાણા, મકનપુર, મીઠાપુર, મોજ૫, ઓખા, શિવરાજપુર અને વરમાળા ગામની ખાનગી અને સરકારી મળી કુલ ૧૯૯ સર્વે નંબર આપી ૬૭ હેક્ટર જેટલી જમીન સંપાદન માટે અરજદારોને ર૧ દિવસમાં બાંધા-સૂચનો આપવા જાણ કરવામાં આવી છે.
જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થયા પછી દ્વારકા-ઓખા વચ્ચેનો માર્ગ સુવિધાયુક્ત રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે નિર્માણ પામશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag