Advertisement
Author: નોબત સમાચાર

અખંડેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની ઉજવણી

જામનગરના બેડેશ્વર સ્થિત

જામનગર તા. ૧૮ઃ જામનગરમાં બેડેશ્વર રામજી ચોકમાં આવેલ શ્રી અખંડેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિ પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી નિમિત્તે સવારથી જ જલાભિષેક - દુગ્ધાભિષેક સહિતની શિવ આરાધના આરંભ થઈ હતી. તેમજ બપોરે ૧ર કલાકે ભગવાન ભોળાનાથની મધ્યાહન મહાઆરતી કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે શ્રી અખંડેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ સંચાલિત આ મંદિરમાં વિરાટ શિવલીંગમાં ૧૧૦૮ નાના - નાના શિવલીંગ સમાયેલા છે. એટલે પહીં શિવલીંગ ઉપર જલાભિષેક કરવાથી ૧૧૦૮ શિવલીંગ પર જલાભિષેક કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

ટ્રસ્ટનાં હોદ્દેદારો તથા સ્વયંસેવકો દ્વારા બપોરે મહાપ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો પ૦૦ થી વધુ ભક્તોએ લાભ લીધો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh