Advertisement
Author: નોબત સમાચાર

દારૃબંધી ભંગના ગુન્હામાં સંડોવાયેલા આરોપીની ટંકારામાંથી કરાઈ અટકાયત

પોલીસે મોબાઈલ નંબરના આધારે હાથ ધરી હતી તપાસઃ

જામનગર તા. ૨૫ઃ જામનગરમાં દારૃબંધી ભંગનો એક ગુન્હો નોંધાયા પછી તેમાં સંડોવાયેલો નાઘેડીનો શખ્સ નાસી ગયો હતો. તેની તપાસમાં રહેલી સિટી-સી ડિવિઝન પોલીસે આરોપીને મોરબીના ટંકારામાંથી પકડી પાડ્યો છે.

જામનગરના સિટી-સી ડિવિઝન પોલીસ મથકમાં છએક મહિના પહેલા દારૃબંધી ભંગનો એક ગુન્હો નોંધાયો હતો. જેમાં નાઘેડી ગામના રવિ સાજણભાઈ ડેર નામના શખ્સનું નામ ખૂલ્યું હતું. ત્યારપછી આ શખ્સ નાસી ગયો હતો.

ઉપરોક્ત આરોપીને પકડી પાડવા પોલીસ તેના સગડ દબાવતી હતી. જેમાં મોબાઈલ નંબર પરથી એનાલિસીસ હાથ ધરાતા આ શખ્સની વિગતો હે.કો. યશપાલસિંહ, હોમદેવસિંહને મળી હતી. જેના આધારે પીઆઈ એ.આર. ચૌધરીની સૂચના અને પીએસઆઈ વી.એ. પરમારના વડપણ હેઠળ પોલીસ ટીમ મોરબીના ટંકારા દોડી હતી.

ત્યાં આવેલી લક્ષ્મી નારાયણ સોસાયટીમાં પોલીસે દરોડો પાડી રવિ સાજણભાઈ ડેરને પકડી પાડ્યો છે. આ આરોપીને જામનગર ખસેડવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh