Advertisement
Author: નોબત સમાચાર

નગરના નેતાઓએ સવારે સફાઈ અભિયાન હેઠળ પાછલું લાખોટા તળાવ સાફ કર્યું

નૌકાદળના જવાનો, મનપાના પદાધિકારીઓ જોડાયા

જામનગર મહાનગરપાલિકા અને નેવી દ્વારા આજે સવારે ખાસ સાફઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને તળાવમાંથી કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકા દ્વારા સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે સવારે પાછલા તળાવમાંથી કચરો એકત્ર કરવામાં આવ્યો હતો, અને તળાવની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી. આ કાર્યમાં નેવીના જવાનોએ પણ જોડાઈને સહયોગ આપ્યો હતો. ધારાસભ્ય દિવ્યેશ અકબરી,  ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટીના ચેમેન નિલેશ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોષી, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, ઈન્ચાર્જ ડી.એમ.સી. ભાવેશ જાની, ઈન્ચાર્જ આસી. કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મળ, ચિફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈ, મનહર ઝાલા, મુકેશ વરણવા, જી.જે. નંદાણિયા, સુનિલ ભાનુશાળી, યુવરાજસિંહ ઝાલા, નેવીની ટીમ સહિતના મહાનુભાવો જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh