Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીડી પરથી પટકાયેલા યુવક પર કાળનો પંજોઃ
જામનગર તા. ૨૫ઃ ભાણવડના વેરાડ ગામમાં ભાગમાં રાખેલા ખેતરમાં દવાનો છંટકાવ કરી રહેલા પોરબંદર જિલ્લાના યુવાનને દવાની ઝેરી અસર થઈ હતી. તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જ્યારે ખંભાળિયામાં સીડી પરથી પટકાયેલા યુવાન પર કાળનો પંજો પડ્યો છે.
ભાણવડ તાલુકાના વેરાડ ગામમાં આવેલા લલીતભાઈ અમરાભાઈ વાઘ નામના ખેડૂતના ખેતરને ભાગમાં વાવવા માટે પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના દેવડા ગામના જીતેશભાઈ કરશનભાઈ ખાવડાએ રાખ્યું હતું. તે ખેતરમાં ગઈ તા.૫ના દિને જીતેશભાઈ દવાનો છંટકાવ કરતા હતા.
આ વેળાએ દવાની અસર થઈ જતાં જીતેશભાઈને ભાણવડની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા ત્યાંથી વધુ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના મોટાભાઈ મોહનભાઈએ પોલીસને જાણ કરી છે.
ખંભાળિયામાં ગોવિંદ તળાવ પાસે ચુનારાવાસમાં વસવાટ કરતા મૂળુભાઈ પાલાભાઈ ખરા (ઉ.વ.૨૭) નામના યુવાન ગુરૃવારે રાત્રે પોતાના ઘરે સીડી ઉતરતા હતા ત્યારે પગ લપસી જતાં પટકાઈ પડ્યા હતા. ઈજા પામેલા મૂળુભાઈનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. સંજયભાઈ ખરાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial