Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફેકો પદ્ધતિથી ઓપરેશન કરી નેત્રમણિ બેસાડાશેઃ
કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં કિશોર ચેરીટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી રણછોડદાસ આશ્રમ-રાજકોટ દ્વારા તા. ર૬-૧૧-ર૦ર૩ ના વિનામૂલ્યે નેત્રનિદાન અને મોતિયાના ઓપરેશન માટેના કેમ્પનું આયોજન થયું છે. સવારે ૯ થી ૧ર સુધી ભાટિયાના સરકારી દવાખાનામાં આ કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પમાં ઓપરેશનની જરૃરિયાતવાળા દર્દીને બસ મારફત રાજકોટ લઈ જવાની અને પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવશે અને ટાંકા વગરનું ફેકો પદ્ધતિથી ઓપરેશન કરી નેત્રમણિ બેસાડી આપવામાં આવશે. દર્દીઓ માટે રહેવા-જમવા, ચા-પાણી, દવા-ચશ્મા, ઓપરેશનની નિઃશુલ્ક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ કેમ્પનો લાભ લેવા કિશોરભાઈ દત્તાણીએ અનુરોધ કર્યો છે અને વધુ વિગત માટે (૯૪ર૭૪ ર૦૧૧૧) નો સંપર્ક સાધવા જણાવાયું છે. દર માસના છેલ્લા રવિવારે કેમ્પ યોજવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial