Advertisement
Author: નોબત સમાચાર

ભાટિયામાં આગામી રવિવારે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાશે

ફેકો પદ્ધતિથી ઓપરેશન કરી નેત્રમણિ બેસાડાશેઃ

કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં કિશોર ચેરીટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી રણછોડદાસ આશ્રમ-રાજકોટ દ્વારા તા. ર૬-૧૧-ર૦ર૩ ના વિનામૂલ્યે નેત્રનિદાન અને મોતિયાના ઓપરેશન માટેના કેમ્પનું આયોજન થયું છે. સવારે ૯ થી ૧ર સુધી ભાટિયાના સરકારી દવાખાનામાં આ કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પમાં ઓપરેશનની જરૃરિયાતવાળા દર્દીને બસ મારફત રાજકોટ લઈ જવાની અને પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવશે અને ટાંકા વગરનું ફેકો પદ્ધતિથી ઓપરેશન કરી નેત્રમણિ બેસાડી આપવામાં આવશે. દર્દીઓ માટે રહેવા-જમવા, ચા-પાણી, દવા-ચશ્મા, ઓપરેશનની નિઃશુલ્ક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ કેમ્પનો લાભ લેવા કિશોરભાઈ દત્તાણીએ અનુરોધ કર્યો છે અને વધુ વિગત માટે (૯૪ર૭૪ ર૦૧૧૧) નો સંપર્ક સાધવા જણાવાયું છે. દર માસના છેલ્લા રવિવારે કેમ્પ યોજવામાં આવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh