Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મારામારીના ગુન્હામાં આરોપીનું થયું અવસાનઃ
જામનગર તા. ૨૫ઃ જામનગરના એક શખ્સ સામે મારામારીનો ગુન્હો નોંધાયા પછી તેને પકડવાનો બાકી હતો. તે દરમિયાન આરોપીનું અવસાન થતાં પેરોલ ફર્લો સ્કવોડે તેના ડેથ સર્ટીફિકેટ વગેરે કાગળો મેળવી લગત પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા છે. જયારે દારૃબંધી ભંગના ગુન્હામાં દોઢ વર્ષથી નાસતા ફરતા હીરાસર ગામના શખ્સને ચોટીલામાંથી પેરોલ ફર્લો સ્કવોડે પકડી લીધો છે.
જામનગરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલુ વર્ષે મારામારીનો એક ગુન્હો નોંધાયો હતો. જેમાં હર્ષદ મીલની ચાલી પાસે આવેલી પ્રણામી ટાઉનશીપ-૩માં રહેતા મેઘરાજ ઉર્ફે મુકેશ જાનીભાઈ શર્મા નામના સિંધી શખ્સની સંડોવણી ખૂલી હતી. ત્યારથી આ શખ્સ પકડવાનો બાકી હતો. તે દરમિયાન આ આરોપી મૃત્યુ પામ્યો હોવાની જાણકારી મળતા તેના ડેથ સર્ટિફિકેટ સહિતના કાગળો મેળવી પેરોલ ફર્લો સ્કવોડે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના હીરાસર ગામના સાગર રણછોડભાઈ પરમાર નામના શખ્સ સામે ગયા વર્ષે સિટી-સી ડિવિઝન પોલીસ મથકમાં દારૃબંધી ભંગનો ગુન્હો નોંધાયો હતો. ત્યારથી આ શખ્સ નાસી ગયો હતો. આ આરોપીની બાતમી પેરોલ ફર્લો સ્કવોડને મળતા પીએસઆઈ એલ.જે. મિયાત્રાની સુચનાથી ચોટીલા દોડી ગયેલી સ્કવોડની ટીમે ત્યાંથી આરોપીને પકડી પાડી જામનગર ખસેડ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial