Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ચંદ્રગા ગામમાં ખેતીની જમીનનો ગેરકાયદે ઉપયોગઃ રજૂઆત

બિનખેતી કરાવ્યા વગર પવનચક્કીની કંપની દ્વારા

જામનગર તા. ૨૫ઃ જામનગર તાલુકાના ચંદ્રગા ગામમાં ગેરકાયદેસર ખેતીની જમીનનો પવનચકીની કંપની દ્વારા બીન ખેતી તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

ચંદ્રગા ગ્રામ પંચાયત દ્વારા કલેકટરને પાઠવેલ પત્રમાં રજુઆત કરતા જણાવાયું છે કે, ચંદ્રગા ગામની જમીન પર સુજલોન કંપની દ્વારા યોગ્ય સક્ષમ અધિકારીના હુકમ વગર ખેતીની જમીનનો બિન ખેતી તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મંજુરી વગર કાયમી પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું છે તથા અન્ય ખેતીની જમીનમાં અવરજવર માટેના માર્ગમાં અંતરાઈ ઉભી કરવામાં આવી છે.આમ ખેડૂતોની જમીનને નુકસાન થઈ રહ્યું છે જેથી જવાબદારો સામે પગલા લેવા જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh