Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોરબંદરની અદાલતમાં કરાઈ રિમાન્ડની માગણીઃ
જામનગર તા. ૨૫ઃ ભારતીય જળસીમામાંથી ત્રણેક દિવસ પહેલા કોસ્ટગાર્ડે પાકિસ્તાનની એક માછીમારી બોટને પકડી પાડી હતી. તેમાં રહેલા તેર શખ્સને પોરબંદર દરિયાકાંઠે લઈ જવામાં આવ્યા હતા. આ શખ્સોની રિમાન્ડ મેળવવા તજવીજ કરાતા અદાલતે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ શખ્સો માછીમાર છે કે કેમ? વગેરે પ્રશ્નોના ઉત્તર માટે પૂછપરછ આરંભાઈ છે.
ભારતીય જળસીમામાં ઘૂસી ગયેલી પાકિસ્તાનની એક બોટને કોસ્ટગાર્ડે પકડી પાડ્યા પછી તેમાં રહેલા તેર શખ્સને પોરબંદર દરિયાકાંઠે ખસેડ્યા હતા. કોસ્ટગાર્ડની અરીંજય નામની શીપ પેટ્રોલિંગમાં હતી ત્યારે જળસીમામાં પાકિસ્તાનની નાઝ-એ-કરમ નામની બોટ જોવા મળી હતી.
તે બોટમાં રહેલા તમામને ઓખા અને ત્યાંથી પોરબંદર ખસેડવામાં આવ્યા હતા. તે પછી કોસ્ટગાર્ડના અધિકારી અંકિત ત્રિપાઠીએ પાકિસ્તાનના આ માછીમારો સામે એમઝેડઆઈ એક્ટ હેઠળ ગુન્હો નોંધાવ્યો હતો.
આ માછીમારોને ગઈકાલે પોરબંદરની કોર્ટમાં રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં અદાલતે તમામ તેર માછીમારને ચાર દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યાે છે. આ શખ્સો માછીમાર જ છે કે કેમ? અને ભૂલથી ભારતીય જળસીમામાં ઘૂસ્યા હતા કે તેઓનો અન્ય કોઈ ઈરાદો હતો? તે બાબતની પૂછપરછ હાથ ધરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial