Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા પંચાયત-પાલિકાના સભ્યોમાંથી ઉમેદવારો થશે નક્કી
જામનગર તા. રપઃ જામનગર જિલ્લા આયોજન સમિતિની તા. ર૧ મી ડિસેમ્બરે થનાર ચૂંટણી અંગેની નોટીસ બહાર પાડવામાં આવી છે.
જામનગર જિલ્લામાં (જિલ્લા પંચાયત/ નગરપાલિકાઓના ચૂંટાયેલા સભ્યોમાંથી અને તેમના દ્વારા જામનગરની જિલ્લા આયોજન સમિતિના સભ્યોમાંથી ૧૭ સભ્યોની ચૂંટણી યોજાશે. નામાંકન પત્રો ઉમેદવારે અથવા તેના પ્રસ્તાવકર્તાએ ચૂંટણી અધિકારીને અથવા તાલુકા વિકાસ અધિકારી જામનગર અને મદદનીશ ચૂંટણી અધિકારીને, તાલુકા પંચાયત જામનગરમાં (જાહેર રજા સિવાયના) કોઈપણ દિવસે સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૩ વાગ્યાની વચ્ચે મોકલી આપવા જોઈશે, નામાંકન પત્રના નમૂના ઉપર જણાવેલા સ્થળે અને સમયે મળી શકશે.
નામાંકન પત્રો ચકાસણી માટે તા. ૬-૧ર-ર૦ર૩ ના ૧૧ કલાકે થશે. ઉમેદવારી પાછી ખેંચી લેવાની નોટીસ તા. ૯-૧ર-ર૦ર૩ ના બપોરે ૩ વાગ્યા પહેલા ઉપર નિર્દિષ્ટ કરેલા અધિકારીઓ પૈકીના કોઈ એક અધિકારીને ઉમેદવાર અથવા ઉમેદવારે નોટીસ પહોંચાડવા માટે લેખિતમાં અધિકૃત કર્યા હોય તેવા તેના પ્રસ્તાવકર્તા દ્વારા પહોંચાડી શકાશે.
ચૂંટણી કરવી પડે તેવા સંજોગોમાં મતદાન તા. ર૧-૧ર-ર૦ર૩ ના સવારે ૯ કલાકથી અને બપોરે ૧ કલાકની વચ્ચે યોજવામાં આવશે, તેમ ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial