Advertisement
Author: નોબત સમાચાર

કોન્વેયના રિહર્સલ વખતે સર્જાયેલા અકસ્માતની કરાઈ વિધિવત ફરિયાદ

અકસ્માતમાં બે પોલીસકર્મીને થઈ હતી ઈજાઃ

જામનગર તા. ૨૫ઃ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બેડ પાસે ત્રણ સપ્તાહ પૂર્વે વીવીઆઈપી બંદોબસ્તના કરવામાં આવી રહેલા રિહર્સલમાં એક ફાયર ફાઈટર આગળ ઉભેલી એમ્બ્યુલન્સને ઠોકર મારતું ગયું હતું. આ અકસ્માત અંગે વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગરમાં એકાદ મહિના પહેલાં એક વીવીઆઈપી બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. જેમાં કોન્વેયના રિહર્સલ વેળાએ ગઈ તા.૨૬ ઓક્ટોબરના દિને ઝાખર ગામના પાટિયા પાસે સરકારી વાહન અથડાઈ પડ્યા હતા. જેની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

ખંભાળિયા ધોરીમાર્ગ પર ઝાખર પાસે કરાઈ રહેલા રિહર્સલમાં જ્યારે અમ્બ્યુલન્સ, પાયલોટ મોટર, પોલીસની જીપ તેમજ એસ્કોર્ટની ત્રણ મોટર ક્રમમાં રિહર્સલ કરી રહી હતી ત્યારે બેડ નજીક પુલ પર એક બસ અકસ્માતનો ભોગ બની રોડ પર થોડી આડી પડી હતી. આ વેળાએ રિહર્સલમાં રહેલી આગળની મોટરે બ્રેક મારતા તેની પાછળ આવતી અન્ય મોટર ઉભી રહી હતી. આ વેળાએ એમ્બ્યુલન્સની પાછળ આવી રહેલા ફાયર ફાઈટરની ટક્કર આગળ ઉભેલી એમ્બ્યુલન્સને વાગી હતી અને એમ્બ્યુલન્સ તેની આગળની ડીવાયએસપી જીપને ટકરાઈ પડી હતી.

આ અકસ્માત અંગે ત્રણ સપ્તાહ પછી પોલીસમાં ફરિયાદ થવા પામી છે. અકસ્માતમાં પોલીસકર્મી વિપુલભાઈ, પોલીસ જીપના ડ્રાઈવર રફીકભાઈ તેમજ એમ્બ્યુલન્સના ચાલક કાનજીભાઈને ઈજા થઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh