Advertisement
Author: નોબત સમાચાર

સમગ્ર રાજ્યમાં સરકારી શાળાના પ્રાથમિક શિક્ષકોને સીપીઆર તાલીમ

ત્રણ લાખથી વધુ શિક્ષકોને અપાશે તાલીમઃ

ખંભાળીયા તા. ૨૫ઃ રાજ્યમાં નાના બાળકો તથા નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધવા લાગ્યું હોય ઈમરજન્સીમાં કાર્ડીયાક એરેસ્ટ તથા હાર્ટ એટેકની ઘટનામાં મદદરૃપ થવા માટે પ્રાથમિક સરકારી શાળાના શિક્ષકો માટે ખાસ સીપીઆર તાલીમનું બે દિવસનું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા કરવા આવ્યું છે. જેમાં ત્રણ લાખ ઉપરાંત શિક્ષકો તાલીમ લેશે. દરેક જિલ્લાની મેડિકલ કોલેજોમાં સવારના ૧૦ થી સાંજના ૬ વાગ્યા સુધી એક કલાકની બેચમાં ૩૦૦ શિક્ષકોને તાલીમ મળે તેવું આયોજન થયું છે. તા. ૩-૧૨ના રવિવાર તથા તા. ૧૭-૧૨ ના રવિવારે આ તાલીમ અપાશે જેમાં એક દિવસમાં ૨૪૦૦ લેખે બે દિવસની તાલીમમાં ૪૮૦૦ શિક્ષકોને તાલીમ અપાશે. જેમને વિડીયો કોન્ફરન્સથી માર્ગદર્શન આ૫શે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh