Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મનપામાં ઢગલાબંધ સડેલી ડસ્ટબીનો સહિત ભંગારનો ભરાવો... વૈચિત્ર્યમ્..!

સ્ક્રેપ કરાયેલા ચાલુ વાહનો માટે નિયમો-માપદંડોનો અમલ થાય છે ખરો ? ડસ્ટબીનો ગઈ ડસ્ટબીનમાં...?!

જામનગર શહેરને સ્વચ્છ સુઘડ બનાવવા તમામ માર્ગો ઉપર સુકા અને ભીના કચરા માટે એક જોડી (બે નંગ) ડસ્ટબીન મૂકવામાં આવ્યા હતાં. પરંતુ આ યોજના નિષ્ફળ જતાં તમામ ડસ્ટબીન ઉતરાવી લેવાયા હતાં અને એકત્ર કરીને મહાનગરપાલિકા કચેરીમાં ઢગલા મોઢે રાખી દેવાયા છે અને લાંબા સમયથી ખુલ્લામાં રખાયેલા આ લોખંડ-પતરાના ડસ્ટબીન સડી ગયા છે. આ ભંગારનો નિકાલ કરવાની તસ્દી લેવામાં આવી નથી. આ સાથે જ અન્ય કેટલાક સારી હાલતમાં રહેલા સાધનો, વાહનો પણ ભંગારમાં ઠાલવી દેવામાં આવ્યા છે. એક તરફ ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સફાઈ સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે. જ્યારે જામનગર મહાનગરપાલિકા ભંગાર, કચરો કમ્પાઉન્ડમાં એકત્ર કરે છે. હકીકતે સત્વરે આ ભંગારનો નિકાલ કરવો જોઈએ અને કરોડોના ખર્ચે નવી યોજનાની અમલવારી કરતા પહેલા તેને સફળતા મળશે કે કેમ ? તેનો અભ્યાસ કરવો જરૃરી છે. આ અંગે એવી ચર્ચા પણ થઈ રહી છે કે ખાનગી કંપની પાસેથી મહાનગરપાલિકાએ મેળવેલા વાહનો પણ ટૂંકાગાળામાં બિન ઉપયોગી ગણાવીને ભંગારમાં  મૂકી દેવા પાછળ કોઈ મલિન ઈરાદો તો નહીં હોય ને ? સામાન્ય રીતે વાહનોને ભંગારમાં મૂકવા એટલે કે સ્ક્રેપ કરવા માટેના ચોક્કસ નિયમો તથા માપદંડો હોય છે તેનું પાલન આ નવા જેવા જણાતા અને ભંગારમાં મૂકેલા કેટલાક વાહનો માટે થયું છે કે કેમ ? તેની તપાસ થશે ખરી ?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh