Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દંડ ભરવામાં ન આવે તો વધુ ચાર મહિનાની સજાઃ
જામનગર તા. ૪ઃ જામનગરના એક આસામીએ રૃા.૧ લાખ ર૦ હજારના ચેક પરતની કરેલી ફરિયાદમાં અદાલતે આરોપીને એક વર્ષની કેદ અને રૃા.૯પ હજારનો દંડ ફટકાર્યાે છે.
જામનગરમાં રહેતા મહેશ લક્ષ્મણભાઈ રાઠોડ પાસેથી વૃજલાલ ભીમજી મકવાણાએ હાથઉછીના રૃા.૧ લાખ ૨૦ હજાર લીધા હતા. તે રકમની પરત ચૂકવણી માટે વૃજલાલએ ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા નોટીસ પાઠવ્યા પછી મહેશભાઈએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત કેસ ચાલી જતા અદાલતે આરોપી વૃજલાલ ભીમજી મકવાણાને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને રૃા.૯પ હજારનો દંડ ફટકાર્યાે છે. તે રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવામાં આવશે. દંડ ભરવામાં ન આવે તો વધુ ચાર મહિનાની સજાનો હુકમ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ ભગીરથસિંહ ઝાલા, કલ્પેન રાજાણી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial