Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના મુળીલામાં ખેતમજૂરી માટે આવીને રહેતા શ્રમિક કૂવામાં ડૂબી ગયા

પોલીસે મૃતકના પત્નીનું નિવેદન નોંધી તપાસ આદરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪ઃ કાલાવડના મુળીલા ગામમાં એક ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના વતની શ્રમિક સોમવાર પછીથી ગુમ થઈ ગયા હતા. આ શ્રમિકનો મૃતદેહ તે ખેતરના કૂવામાંથી મળી આવ્યો છે. પોલીસે મૃતકના પત્નીનું નિવેદન નોંધી આ યુવાન કૂવામાં કઈ રીતે પડી ગયા? તેની તપાસ હાથ ધરી છે.

કાલાવડ તાલુકાના મુળીલા ગામમાં આવેલા ઘેલુભા જાડેજા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના સીંગવદ તાલુકાના વતની મહેન્દ્રભાઈ ભોળાભાઈ સંગાડા (ઉ.વ.૩૦) નામના શ્રમિક ગયા સોમવારે ખેતરમાં કામ કરતા જોવા મળ્યા હતા. ત્યારપછી ગુમ થઈ ગયા હતા.

આ યુવાનની ચાલી રહેલી શોધખોળ દરમિયાન તેમનો મૃતદેહ આ ખેતરમાં જ આવેલા કૂવામાંથી મળી આવ્યો છે. કોઈ રીતે કૂવામાં પડી ગયા પછી મહેન્દ્રભાઈ વધુ પડતું પાણી પી જતા તેઓનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. દોડી આવેલી કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી મૃતકના પત્ની સુખેરાબેન સંગાડાનું નિવેદન નોંધ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh