Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભયભીત ખેડૂતોએ જાણ કરતા વનવિભાગે તપાસ કરીઃ
જામનગર તા. ૪ઃ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડિયા ગામની સીમમાં દિપડો દેખાયો હોવાના વાવડ મળતા ખેડૂતો ભયભીત થયા છે. વનવિભાગની તપાસમાં હાલમાં દીપડો અન્ય જિલ્લા તરફ નાસી ગયો હોવાની શક્યતા દર્શાવાઈ છે.
કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડિયા ગામે એક ખેડૂતની વાડીમાં કામ કરતા ખેતશ્રમિક વાડી વિસ્તારમાંથી પસાર થતા હતાં ત્યારે તેમણે દીપડાને નિહાળ્યો હતો. આથી તેમણે પોતાના મોબાઈલમાં ત્યાંથી પસાર થતા દિપડાનું વીડિયો શૂટિંગ ઉતાર્યું હતું અને ગ્રામજનોને વાત કરતા ગામના આગેવાનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
આ પછી કાલાવડના આરએફઓ દિનેશ રાઠવા પોતાની ટીમ સાથે દોડી ગયા હતાં અને સમગ્ર વિસ્તારમાં તપાસ શરૃ કરી હતી, પરંતુ દિપડાના સગડ મળ્યા ના હતાં. આ દિપડાએ કોઈ વિસ્તારમાં મારણ કર્યાનું પણ જોવા મળ્યું નથી, પરંતુ મોબાઈલનો વીડિયો નિહાળતા અને વાડી વિસ્તાર, સ્થળ વિગેરેની તપાસ કરતા તેમાં સત્યતા જોવા મળી હતી, જ્યારે દિપડો દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ એકત્ર થયા હતાં અને અનેક વાડી-ખેતરો ખૂડી નાખ્યા, પરંતુ ક્યાંય દિપડાના સગડ મલ્યા ન હતાં. હાલ તો ખેડૂતો પોતાના વાડી-ખેતરમાં જતા ડરી રહ્યા છે. બીજી તરફ અલગ અલગ ટીમ દ્વારા દિપડાની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ આ દિપડો જિલ્લાની હદની બહાર નીકળી ગયો હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial