Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આગામી શનિવારે
જામનગર તા. ૪ઃ જામનગરમાં પંચેશ્વર ટાવર સ્થિત શ્રી ગૌરીશંકર મહાદેવના મંદિર પાસે આવેલા શ્રી રામદુત હનુમાનજીના મંદિરે શનિવાર તા. ૬ ના અન્નકૂટ ઉત્સવના દર્શનની ઝાંખી તૈયાર કરાશે. તેમજ મંદિરે ધ્વજારોહણ અને ૧૦૮ દીવડાની મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
શહેરના પંચેશ્વર ટાવર પાસેના શ્રી રામદુત હનુમાનજી મંદિરમાં પ્રતિવર્ષ માગશર મહિનાના ત્રીજા શનિવારે યોજાતા અન્નકૂટ મહોત્સવ અને મહાઆરતીના ધાર્મિક કાર્યક્રમો આ વર્ષે પણ તા. ૬-૧-ર૦રપ, શનિવાર શૌર્ય દિવસે યોજાશે. જે અંતર્ગત મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ સવારે ૯.૦૦ વાગ્યે, સાંજના ૪.૩૦ વાગ્યાથી રાત્રિના ૧૧.૩૦ સુધી અન્નકૂટ દર્શન અને રાત્રે ૮.૦૦ વાગ્યે ૧૦૮ દીવાની મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
આ તમામ ઉત્સવમાં નગરના સર્વે ધર્માનુરાગી ભાઈઓ-બહેનોએ જોડાઈને ધર્મલાભ માટે પધારવા મહાદેવ હર મિત્રમંડળ પ્રમુખ રાજુભાઈ વ્યાસ (મહાદેવ) દ્વારા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial