Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તંત્ર તૈયારીમાંંં...ખેડૂતો વિરોધમાં...
દ્વારકા તા. ૪ઃ સરકાર દ્વારા દ્વારકા યાત્રાધામને એરપોર્ટની સુવિધા આપવા વસઈ આસપાસના ગામોમાં જગ્યા પસંદ કરાઈ હોય, આ અંગે જમીન સંપાદન સહિતની પ્રાથમિક કામગીરીનો પ્રારંભ કરાઈ રહ્યો છે ત્યારે વસઈ તેમજ આસપાસના ગામોના ખેડૂતો દ્વારા વિકાસ સામે વિરોધ નહિં જણાવી એરપોર્ટ પ્રોજેકટ અન્યત્ર ખસેડવાની માંગ ઉઠી છે.
ખેડૂતોના મતે વસઈ આસપાસની જમીનો ખૂબ જ ફળદ્રુપ હોય, અહીંની ગ્રામીણ પ્રજા ખેતી ઉપર જ સંપૂર્ણ નિર્ભર છે. એરપોર્ટ પ્રોજેકટ આવ્યે જમીન સંપાદન થતાં આસપાસના ખેતી પર નિર્ભર સેંકડો પરિવારોને રોજીરોટીનું સંકટ ઊભું થવાની ભીતિ વ્યક્ત કરી હતી. ઓખામંડળ ક્ષેત્રમાં શાકભાજી ઈત્યાદિ પૂરૃં પાડવામાં પણ વસઈ તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારોનું મહત્તમ યોગદાન રહેલું છે. ત્યારે સરકાર એરપોર્ટ પ્રોજ્ેકટને અહીંની ફળદ્રુપ જમીનના બદલે અન્ય જગ્યાએ ખસેડવા પણ ખેડૂતો દ્વારા અપીલ કરાઈ છે. આજે અસરગ્રસ્ત ખેડૂતોના જમીન સંંપાદન પૂર્વેની સર્વે કામગીરી શરૃ થાય તે પહેલા જ ખેડૂતોએ તેમની જમીન આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી સર્વે કામગીરીનો વિરોધ કર્યો હતો. મામલતદાર ભેડાએ પણ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ખેડૂતોના પ્રાથમિક સર્વેના વિરોધની રજૂઆત ઉપરના લેવલે કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial