Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ ફરિયાદ મંજૂરઃ ૧૧ લાખ ૫૦ હજાર ચૂકવાશેઃ
જામનગર તા. ૧૭: જામનગરના એક આસામીએ કેર હેલ્થ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી વીમો મેળવ્યા પછી તેઓને કેન્સરનું નિદાન કરાતા સારવાર લેવી પડી હતી. જેમાં રૂ.૭ લાખનો ખર્ચ થતાં વીમા કંપનીએ ક્લેઈમ ચૂકવવા ઈન્કાર કર્યાે હતો. ફોરમમાં કરેલી ફરિયાદ ચાલી જતા રૂ.૧૧.૫૦ લાખના પાંચ ક્લેઈમ વ્યાજ સાથે ચૂકવી આપવા હુકમ કરાયો છે.
જામનગરના ધર્મેશભાઈ મનસુખભાઈ મુળસા નામના આસામીએ કેર હેલ્થ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી મેડિક્લેઈમ મેળવ્યો હતો. તેનું રૂ.૧૧ લાખ ૫૦ હજારનું રીસ્ક કવર કરવામાં આવી રહ્યું હતું.
તે દરમિયાન ધર્મેશભાઈને દુખાવો થતાં તેઓએ ડોક્ટરને બતાવતા કેન્સરનું નિદાન કરાયું હતું અને અમદાવાદમાં એક ક્લિનિકમાં તેની ધર્મેશભાઈએ સારવાર મેળવી હતી. જેમાં રૂ.૭ લાખનો ખર્ચ થયો હતો. તે બાબતનો ક્લેઈમ રજૂ કરવામાં આવતા વીમા કંપનીએ ક્લેઈમ રદ્દ કરી નાખ્યો હતો. તેથી વીમા કંપની સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરવામાં આવી હતી.
તે અરજી ચાલી જતાં ફોરમે પાંચ કલેઈમની રકમ વ્યાજ તથા ખર્ચ સાથે ચૂકવી આપવા અને યોગ્ય સમયમાં વળતર ન ચૂકવાય તો વ્યાજ છ ટકાના બદલે નવ ટકા લેખે ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial