Advertisement
Author: નોબત સમાચાર

નશાકારક પદાર્થાેને પકડી પાડવા ગૃહવિભાગ દ્વારા એન્ટી નાર્કોટીક્સ ટાસ્કફોર્સનું ગઠન

દ્વારકા જિલ્લામાંથી બદલી પામેલા બે અધિકારીની નિયુક્તિઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૭: રાજ્ય સરકારના ગૃહવિભાગે તાજેતરમાં રચેલી એન્ટી નાર્કોટીક્સ ટાસ્કફોર્સમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી બદલી પામીને ગયેલા બે અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે.

રાજ્ય સરકારના ગૃહવિભાગ દ્વારા નશાકારક પદાર્થાે વેચી યુવાધનને બરબાદ કરતા શખ્સોને પકડી પાડવા તથા નશાકારક પદાર્થાે કબજે લેવા એન્ટી નાર્કોટીક્સ ટાસ્કફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે. આ ટૂકડી રાજ્યના તમામ જિલ્લાઓમાં કાર્યરત રહેશે.

તાજેતરમાં જ ભાણવડ પોલીસ મથકના પીઆઈ કે.બી. રાજવી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.જે. ચૌહાણની બદલી થઈ છે. આ બંને અધિકારીને નાર્કોટીક્સ ટાસ્કફોર્સમાં મૂકવામાં આવ્યા છે. આ અધિકારીઓએ તે માટેની ટ્રેનીંગ મેળવ્યા પછી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ નિયુક્તિ મેળવી છે. પીઆઈ જે.જે. ચૌહાણને રાજકોટ તથા કે.બી. રાજવીને અમદાવાદમાં નિયુકત કરવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh