Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજ સલામતી માટે જરૂરી માર્ગદર્શન અપાયું:
જામનગર તા. ૧૭: જામનગરની પીજીવીસીએલની વર્તુળ કચેરી, જામનગર દ્વારા તા. ૮ થી ૧૩ ડિસેમ્બર-ર૦ર૪ દરમિયાન વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીનો મુખ્ય હેતુ બાળકો તેમજ જન સામાન્યમાં વીજ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનો તથા વીજ અકસ્માતોની શક્યતા ઘટાડવાનો હતો.
આ અવસર પર વિવિધ શાળાઓ અને સ્થળોએ વિદ્યાર્થીઓ માટે ચિત્રકલા, નિબંધ લેખન, વક્તૃત્વ, ક્વિઝ અને કવિતા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાની સર્જનાત્મકતા તથા જ્ઞાન દ્વારા વીજ સલામતી અંગેના સંદેશો રજૂ કર્યા હતાં.
આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન વીજ સલામતી માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં વીજ ઉપકરણોનો સુરક્ષિત ઉપયોગ, વીજ તારોથી યોગ્ય અંતર જાળવવું, અકસ્માત નિવારણના ઉપાયો તથા આપત્તિ સમયે લેવાય તેવી તકેદારી અંગે માહિતી આપવામાં આવી હતી.
સ્પર્ધાઓના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં. તેમજ તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શિક્ષકો, અધિકારીઓ તથા વાલીઓની સક્રિય હાજરી રહી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial