Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તથા ખંભાળીયામાં યુરીયા ખાતરની તંગીઃ 'આપ'નું આવેદન

ખેડૂતોની લાઈનો લાગે છે

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૭: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતો માટે હાલના શિયાળુ પાકમાં અત્યંત ઉપયોગી તથા જરૂરી યુરીયા ખાતરની તંગી અંગે તથા ખાતરની ખરીદીમાં સપ્લીમેન્ટરી પ્રોડક્ટ માંગ્યા વગર ધરારથી આપતા હોય, બંધ કરવાની માંગ સાથે જિલ્લા ખેતીવાડી અધિકારીને આમઆદમી પાર્ટીના જિલ્લા કિસાન સેલ પ્રમુખ બલદેવ ગઢવી સહિતના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે.

તેમણે જણાવેલ કે સમગ્ર દ્વારકા જિલ્લામાં તથા ખાસ કરીને ખંભાળીયામાં હાલ ખેડૂતોને યુરીયા ખાતરની ખૂબ જરૂર છે ત્યારે હાલ અછત છે. ક્યારેક ગાડીઓ આવતા ખેડૂતો ખેતીકામ મૂકીને અહીં લાઈનો લગાવે છે. તાકીદે યુરીયા ખાતરનો જથ્થો સપ્લાય વધારવામાં આવે તથા વિતરણ એજન્સીઓની સંખ્યા વધારવા પણ માંગણી કરાઈ છે. જેથી ખેડૂતોને પરેશાની થાય નહીં. અનેક એજન્સીઓ ખેડૂતો જ્યારે યુરીયા ખાતર લેવા જાય ત્યારે કેટલીક પ્રોડકટ ફરજિયાત આપવામાં આવે છે, જે યોગ્ય નથી. કેમ કે ૨૭૦ રૂ. નું યુરીયા લેવામાં ૧૨૦૦ રૂપિયાની નેનો પ્રોડકટ આપવામાં આવે તે યોગ્ય નહીં હોવાથી તાકીદે આવું ફરજિયાત સપ્લીમેન્ટ્રી પ્રોડક્ટ બંધ કરવા તથા યુરીયાનો જથ્થો વધારવા માટે માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh