Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળિયાઃ અંતે... તેલી નદીમાં ઠલવાતા ગંદા પાણીના નિકાલના વિકાસ કામનો આરંભ

ઘી નદીની ગાંડી વેલની વર્ષો જુની સમસ્યા હજુ યથાવત્:

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૭: ખંભાળિયામાં મહાપ્રભુજીની બેઠક પાસેથી નીકળતી તેલી નદી જેમાં ગામ તથા નજીકના ગ્રામ પંચાયત વિસ્તારોની ગટરોની ગંદકી ઠલવાતી હોય, આ મુદ્દે ખંભાળિયાના વતની તથા સાંસદ પરિમલ નથવાણી દ્વારા રાજ્ય સરકાર તથા ધારાસભ્ય મૂળુભાઈ બેરાને રજૂઆત કરાઈ હતી તથા તત્કાલિન કલેક્ટર અશોક શર્મા દ્વારા બે-ત્રણ વખત રૂબરૂ જઈને આનું કાયમી સોલ્યુશન થાય તે માટે આયોજન કર્યું હતું, જે પણ મૂળુભાઈ બેરાના પ્રયાસોથી રાજ્ય સરકારે ૧૩ કરોડ રૂપિયાની સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવતા તેનું કામ શરૂ થયું છે જે ૪૦ ટકા ઉપરાંત પૂર્ણ પણ થઈ ગયું છે.

બન્ને તરફ વિશાળ મોટા બોક્સ ડ્રેનેજ સિસ્ટમો બનાવાઈ રહી છે જેથી કરીને ખંભાળિયા તથા નજીકના ગ્રામ્ય વિસ્તારનું ગટરોનું ગંદુ પાણી આ ડ્રેનેજમાં ચાલી જતો જેથી નદી અંદરનો ભાગ વરસાદના પાણીનો રહેતો જેથી ગંદકી નહીં થાય.

આ બોક્સ ડ્રેનેજ સિસ્ટમ જે મહાપ્રભુજીની બેઠકથી કરીને તેલી નદી ખંભાળિયામાં જ્યાં પૂરી થાય છે તે સલાયા ગેટ પાસે, સુખનાથ મહાદેવથી આગળ સુધી કરવામાં આવશે જેથી બેઠકથી છેક સુખનાથ મહાદેવથી આગળ સુધી બનશે, જેમાં બન્ને તરફ ગંદકી ગટરનો નિકાલ થશે અને તેલી નદી જે ગટરની ગંદકીથી ખદબદતી તે હવે તેલીનદીના સાચા અર્થમાં ચોખ્ખા પાણીવાળી થઈ જશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh