Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં દબાણ હટાવ ઝુંબેશ અન્વયે ૪૦ રેકડી, પથારા, કાઉન્ટરો કબ્જે

મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં રેકડી સહિતના ધંધાર્થીઓના દબાણો દૂર કરવાની કામગીરી ચલાવાઈ રહી છે. જે અન્વયે ગઈકાલે પણ અનેક સ્થળોએથી દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે શરૂસેક્શન રોડ, વી.માર્ટ પાસે, પંચવટી વિસ્તાર, લાલબંગલા સર્કલ સહિતના વિસ્તારોમાં એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ કરવામાં આવી હતી. અને ૪૦ થી વધુ કાઉન્ટરો, રેકડીઓ, પથારા વગેરે કબજે કર્યા હતા. હજુ પણ આવી દબાણ હટાવ ઝુંબેશ યથાવત રીતે ચાલુ રાખવામાં આવનાર છે. આથી, લોકોએ પણ જાહેર માર્ગ પર દબાણ ન કરવા તંત્રએ અનુરોધ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh