Advertisement
Author: નોબત સમાચાર

સલાયામાં બિનખેતી થયેલી જમીનમાં કરાયેલા પ્લોટીંગ કાઢી નાખી પાંચ શખ્સે સર્જયું નુકસાન

સલાયાના પાંચ શખ્સ સામે કરાઈ ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: ખંભાળિયાના યોગેશ્વરનગરમાં રહેતા એક આસામીના માતા તથા અન્ય વ્યક્તિના નામની સલાયામાં આવેલી ેખેતીની જમીન બિનખેતી થયા પછી તેઓએ ત્યાં પ્લોટીંગ કરાવી માપ સાઈઝ માટે નિશાન મૂકાવ્યા હતા. તે નિશાનને સલાયાના પાંચ શખ્સે જમીનમાં ઘૂસી ભૂસી નાખતા અને રૂ.ર લાખનું નુકસાન કરતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

ખંભાળિયા નજીકના ધરમપુરમાં આવેલા યોગેશ્વરનગરમાં રહેતા સીદાભાઈ લખમણભાઈ વાનરીયા નામના આસામીના માતા જવાબેન ઉર્ફે જયાબેન તથા મયુર રામભાઈ ગઢવીના સંયુક્ત નામે સલાયા નજીક આવેલા રેવન્યુ સર્વે નં.૧૨૪/૧ તથા ૧૪૮માં વીસેક વીઘા ખેતીની જમીન આવેલી છે.

તે જમીન અંગે ગયા એપ્રિલ મહિનામાં દ્વારકા જિલ્લાના કલેકટરે બિનખેતીનો હુકમ કર્યાે છે. ઉપરોક્ત જમીનમાં છેલ્લા બેએક મહિનામાં સલાયાના રહેવાસી અબ્દુલ હાજીભાઈ ધાવડા, કરીમ હાજીભાઈ, ઈસ્માઈલ હાજીભાઈ, રઝાક હાજીભાઈ, ઈશા હાજીભાઈ ધાવડા નામના પાંચ શખ્સે અવારનવાર ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યાે હતો. તે ઉપરાંત આ જમીનમાં સીદાભાઈએ પ્લોટીંગ કરાવતા આ શખ્સોએ તે પ્લોટના માપ સાઈઝના કરવામાં આવેલા નિશાનો પણ કાઢી નાખી અંદાજે રૂ.ર લાખનું નુકસાન સર્જયું હતું.

ઉપરોક્ત પાંચેય શખ્સ સામે ગઈકાલે સીદાભાઈ વાનરીયાએ સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસની કલમ ૩૨૯ (૧), ૩૨૯ (૩), ૩૨૪ (ર) હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh