Advertisement
Author: નોબત સમાચાર

શાળાએ જતી વિદ્યાર્થિનીની છેડતીના આરોપમાં વેનચાલકનો થયો છૂટકારો

અણછાજતા અડપલા કરી છેડતીની રાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરની એક શાળામાં અભ્યાસ કરતી સગીરાને લેવા-મુકવા જતા વેનચાલકે તેણીની સાથે અણછાજતા અડપલા કરી છેડતી કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો કર્યાે છે.

જામનગરના એક વિસ્તારમાં વસવાટ કરતા પરિવારની પુત્રીને શાળાએ લેવા-મૂકવા જતા પ્રકાશ ચનાભાઈ વાઘેલા ઉર્ફે પ્રસન્નજીત નામના વેન ડ્રાઈવરે આ સગીરાની સાથે અણછાજતા અડપલા કરી છેડતી કર્યાની થોડા મહિનાઓ પહેલાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. ઉપરોક્ત કેસ જામનગરની ખાસ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા અદાલતે આરોપી પ્રકાશ વાઘેલા તરફથી રોકાયેલા વકીલ કિરણભાઈ બગડા, જયન ગણાત્રા, પાર્થ બગડાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh