Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના આસામીના ખાતામાં જમા થયેલી રૂ.સવા બાવીસ લાખની રકમ અંગે ફોજદારી

ઈન્ટરનેટના માધ્યમથી થઈ હતી છેતરપિંડીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરના વધુ બે આસામી સામે પોલીસે ખુદ ફરિયાદી બની ગુન્હો નોંધ્યો છે. એક આસામીએ પોતાનું બેંક એકાઉન્ટ બીજા આસામીને વાપરવા આપ્યું હતું. જેમાં રૂ.૨૨,૨૭,૯૮૧ જમા થયા હતા અને તેમાંથી કમીશન મેળવાયું હતું. છેતરપિંડી આચરવા અંગે અગાઉ કરાયેલી ફરિયાદમાં ઉપરોક્ત વિગત ખૂલતા બંને સામે ગુન્હો નોંધાયો છે.

જામનગરના બેડી બંદર રીંગ રોડ પર શિવ ટાઉનશીપમાં રહેતા ભાવિક અરશીભાઈ ડેર નામના આસામીએ લક્ષ્મી પાર્કમાં રહેતા પ્રવીણ ભોજાભાઈ નંદાણીયા નામના આસામીને એચડીએફસી બેંકમાં આવેલુ પોતાનું બેંક એકાઉન્ટ વાપરવા માટે આપ્યું હતું. તે ખાતામાં રૂ.૨૨,૨૭,૯૮૧ જમા થયા હતા.

તે રકમ પોતાના ખાતામાંથી ચેક અને એટીએમ કાર્ડ દ્વારા ઉપાડી લઈ ભાવિકે તેમાંથી કમીશન મેળવ્યા પછી બાકીની રકમ પ્રવીણ નંદાણીયાને આપી દીધી હતી. ઈન્ટરનેટના માધ્યમથી છેતરપિંડી કરવા અંગે પોલીસમાં કરાયેલી ફરિયાદમાં ઉપરોક્ત હકીકત ખૂલતા ગઈકાલે પોલીસકર્મી એમ.જે. જાડેજાએ ખુદ ફરિયાદી બની સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને શખ્સ સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh