Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૮ ઃઆર્ય સમાજ જામનગર દ્વારા સંચાલિત આર્ય વિદ્યાસભા અંતર્ગત શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલયમા પોસ્કો અને સાયબર ક્રાઈમ અંતર્ગત જામનગર શહેર પોલીસ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આર્ય સમાજ જામનગરના પ્રમુખ દિપકભાઈ ઠકકર દ્વારા જામનગર શહેરના પ્રોબેશનર ડીવાયએસપીશ્રી નયનાબેન ગોરડીયાનો પરિચય આપી વૈદિક પરંપરા મુજબ ઉપવસ્ત્ર અને પુસ્તકોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગર શહેરના પ્રોબેશનર ડીવાયએસપી નયનાબેન ગોરડીયા દ્વારા પોસ્કો અંતર્ગત વિદ્યાર્થીની બહેનોને સાયબર ક્રાઈમ અને સોશ્યલ મીડિયાનો દૂર ઉપયોગ વિશે સરળ શૈલીમાં માહિતગાર કર્યા હતાં. તેઓએ પોતાની જીવનની સંઘર્ષગાથા કહી વિદ્યાર્થીની બહેનોને પ્રેરિત કર્યા. ઉપરોકત કાર્યક્રમમાં આર્ય સમાજ - જામનગરના પ્રમુખ દિપકભાઈ ઠકકર, આર્યસમાજ જામનગરના માનદ્ મંત્રી રામાણી મહેશભાઈ પટેલ, ઉપમંત્રી નરેન્દ્રભાઈ મહેતા, કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા, શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા સુશ્રી પ્રફુલ્લાબેન રૃપડીયા તેમજ શિક્ષિકા બહેનો ઉપસ્થિત રહ્યા હતાં. અંતમાં આભારદર્શન શાળાના માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૃપડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial