Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આમઆદમી પાર્ટી દ્વારા આવેદન, રામધૂન અને સૂત્રોચ્ચાર સાથે રજૂઆત
ખંભાળીયા તા. ૧૮ઃ ખંભાળીયા તથા કલ્યાણપુર વિસ્તારમાં ખેડૂતોને પૂરા વોલ્ટેજથી નિયમિત અને પૂરતી વીજળી મળતી નથી. જેથી ખેડૂતો અને ગામ લોકો વીજ પ્રશ્નોથી ત્રાહીમામ પોકારી ગયા છે. આ સમસ્યા અંગેની ફરિયાદો આમઆદમી પાર્ટીને મળતા દેવભૂમિ દ્વારકા જિલ્લા આમઆદમી પાર્ટી દ્વારા ખંભાળીયા તથા કલ્યાણપુરમાં વીજતંત્રને આવેદનપત્ર પાઠવી વીજળી આપોના સૂત્રોચ્ચાર કર્યા હતાં. તેમજ સમસ્યાનું તાકીદે નિરાકરણ કરવા રામધૂન બોલાવી વીજતંત્રની ખેડૂતો પ્રત્યેની નિષ્ક્રિયતાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. આમઆદમી પાર્ટીના પ્રદેશ અગ્રણી રૃધાભાઈ આંબલીયા, પ્રમુખ હોદ્દેદારો તેમજ શક્તિનગર, માંઝા, ભટગામ, રામનગર, ધરમપુર, બેરાજા, બેહ, પીપળીયા, માળી, સલાયા વિગેરે ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતાં અને વીજ પુરવઠો નિયમિત અને પૂરા વોલ્ટેજથી આપવા માંગણી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial