Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અકસ્માતમાં બસનો કાચ ફૂટી ગયોઃ
જામનગર તા. ૧૮ઃ ઓખાના આર.કે. બંદર પર ગઈકાલે સવારે એસ.ટી.ની બસ સાથે એક ટ્રક ટકરાઈ પડતા બસનો કાચ તૂટી ગયો હતો. સદ્નસીબે કોઈ મુસાફરને ઈજા થઈ નથી. બસમાં અંદાજે ₹ અડધા લાખનું નુકસાન થયું છે.
ઓખાના બસ સ્ટેશન પરથી ગઈકાલે સવારે છએક વાગ્યે એસટીની જીજે-૧૮-ઝેડ ૪૫૧૫ નંબરની બસ લઈને તેના ડ્રાઈવર સુરેન્દ્રસિંહ બી. જેઠવા માધવપુર જવા રવાના થયા હતા. તે બસ જ્યારે આર.કે. બંદર પર પહોંચી ત્યારે સામેથી ધસી આવેલા જીજે-૩૭-ટી ૩૯૬૬ નંબરના ટ્રકે બસ સાથે ધડાકાભેર અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં બસનો ડ્રાઈવર સાઈડનો કાચ ફૂટી જવા પામ્યો હતો અને ડ્રાઈવરની કેબીનથી છેક પાછળ સુધી લીસોટા પડ્યા હતા.
આ અકસ્માતમાં એસટી બસમાં રૃપિયા પચ્ચાસેક હજારનું નુકસાન થયું છે. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. બસ ડ્રાઈવર સુરેન્દ્રસિંહે ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial