Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હી-૫ૂણે ફલાઈટમાં બોમ્બની અફવા પછી દિલ્હી એરપોર્ટ પર મુસાફરોને ઉતારાયા

સઘન તપાસણી પછી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી

નવી દિલ્હી તા.૧૮ઃ ખાનગી કંપનીની દિલ્હી-પૂણે ફલાઈમાં બોમ્બની અફવા પછી તમામ મુસાફરોને દિલ્હી એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા, પરંતુ વિમાનમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહીં હોવાનું જાણવા મળે છે.

દિલ્હી એરપોર્ટ પર દિલ્હી-પૂણે વિસ્તારા ફલાઈટમાં બોમ્બની ધમકી મળી હતી. જીએમઆર કોલ સેન્ટરને ફલાઈટમાં બોમ્બ હોવાનો કોલ આવ્યો હતો. આ પછી વિમાનને એરપોર્ટ પર આઈસોલેશનમાં બેમાં આઈસોલેટ કરવામાં આવ્યું હતું. તમામ મુસાફરોને તેમના સામાન સાથે સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતાં.

એરપોર્ટ પર આઈસોલેશન બેમા વિમાનની તપાસ કરવામાં આવી છે. તમામ મુસાફરોને તેમના સામાન સાથે સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતાં. શુક્રવારે સવારે જીએમઆર કોલ સેન્ટરને ફલાઈટમાં બોમ્બનો કોલ આવ્યો હતો. અત્યાર સુધીની તપાસમાં કંઈ મળ્યું નથી. કોઈપણ હાઈટેક કે શંકાસ્પદ વસ્તુઓ મળી ન હતી.

ફલાઈટ સવારે ૮-૩૦ વાગ્યે ટેકઓફ થવાની હતી પરંતુ વિમાનને આઈસોલેશનમાં લઈ જઈને તેની તપાસ કરવામાં આવી હતી. જ્યાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. અધિકારીઓએ જણાવ્યું કે જીએમઆર કોલ સેન્ટર પર વિમાનમાં બોમ્બની મળેલી માહિતી અફવા હોવાનું જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh